Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

હર્ષલ રાજેશભાઇ વોરાની ૧૧ ઉપવાસની આરાધના

રાજકોટ તા. ૧૮: પર્યુષણ મહાપર્વ દરમિયાન રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પીડીએમ કોલેજના પ્રોફેસર રાજેશભાઇ વોરા અને જસ્મીનાબેનના સુપુત્ર ચિ. હર્ષલે ૧૧ ઉપવાસ તપની આરાધના સુખ શાતાપૂર્વક પૂર્ણ કરેલ. હર્ષલના દાદી કંચનબેન રોયલ પાર્ક ઉપાશ્રયે મહિલા મંડળના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા છે. રાજેશભાઇ સુંદરમ ગ્રુપ સાથે સંકળાયેલા છે અને માંડવરાયજી ક્રેડીટ સોસાયટીમાં વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છે. (મો. ૯૮રપ૭ ૦૯ર૧૯)

(3:38 pm IST)