Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના સામે દરરોજ યુદ્ધના ધોરણે કામગીરી : ઉદિત અગ્રવાલ

રાજકોટ : કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ રાજકોટ શહેરને કોરોના મુકત કરવા દરરોજ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવે છે. મનપા દ્વારા પ૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે. જેમાં ગઇકાલે રોજ સરેરાશ રરપની ઓ.પી.ડી. સહિત ૧૧ર૭૪ વ્યકિતઓએસેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ર૭૩૭ વ્યકિતઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

(4:36 pm IST)