Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કરણપરામાંથી મનિષ પટેલ ગૂમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

કોઠારીયા રામરણુજા સોસાયટીનો યુવાન ૧૩મીએ કડીયા કામની સાઇટ પર પોતાનું વાહન મુકી જતો રહ્યોઃ પત્નિએ ગૂમની જાણ કરી

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રામરણુજા સોસાયટીમાં રહેતો યુવાન મનિષભાઇ પ્રવિણભાઇ પટેલ (ઉ.વ.૩૮) ૧૩/૮ના રોજ કરણપરા-૭માં પોતાનું વાહન મુકી નીકળી ગયા બાદ ગૂમ થતાં શોધખોળને અંતે તેમના પત્નિ જીજ્ઞાશાબેને એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ બી. વી. ગોહિલે તપાસ હાથ ધરી છે. ગૂમ થનાર યુવાન મધ્યમ બાંધાનો છે, ઉંચાઇ ૫ ફુટ ૪ ઇંચ અને વાને ઘઉવર્ણો છે. જમણા હાથના પંજામાં ઓમ ત્રોફાવેલો છે. કોઇને જોવા મળે તો એ-ડિવીઝન પોલીસને ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:51 pm IST)