Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જન આશીર્વાદ યાત્રાના શાનદાર સ્વાગત માટે પ્રચાર-પ્રચાર કાર્ય પુરજોશમાં: ભાજપ અગ્રણીઓના ફોર વ્હીલર વાહનો પર યાત્રાને આવકારતા સ્ટીકર લગાવાયા

દેશના પ્રધાનમંત્રી  માન. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં તા.૧૯-૮ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને ત્યાર બાદ મનસુખભાઇ માંડવીયા પાર્ટીની વિવિધ બેઠકોમાં ઉપસ્થિત રહેશે. ત્યારે આ જન આશીર્વાદ યાત્રા નું ભ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા પ્રચાર - પ્રસાર કાર્ય વેગવંતુ બનાવાયુ છે ત્યારે આ જન આશિર્વાદા યાત્રાને આવકારતા સ્ટીક વિવિધ ભાજપ અગ્રણીઓના ફોર વ્હીલર વાહન પર લગાડવામાં આવ્યા હતાં. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જિલ્લાના ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, ડો. દર્શીતાબેન શાહ, દલસુખ જાગાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:42 pm IST)