Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

થોરાળા વિજયનગરમાં બાલ્કનીમાં ઉભેલા કાંતાબેનને ચક્કર આવ્યા, પડી જતાં મોત

રાજકોટ તા. ૧૮: નવા થોરાળામાં વિજયનગર સોસાયટી-૬માં રહેતાં કાંતાબેન રાજુભાઇ સોલંકી (ઉ.વ.૬૬) નામના વૃધ્ધા ઘરની બાલ્કનીમાં ઉભા ઉભા પાણી પી રહ્યા હતાં ત્યારે ચક્કર આવતાં પડી જતાં મોત નિપજ્યું હતું.

બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને ઘરના સભ્યો પણ બહાર દોડી આવ્યા હતાં. કાંતાબેનને સત્વરે ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર કાંતાબેનના પતિ રાજુભાઇ નિવૃત પોસ્ટ કર્મચારી છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. કાંતાબેનની તબિયત કેટલાક સમયથી સારી નહોતી. અશકિત લાગતી હતી અને આજે ઘરની બાલ્કનીમાં ઉભા ઉભા પાણી પીતાં હતાં ત્યારે ચક્કર આવતાં પડી ગયાનું તેમના પતિએ કહ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. 

(2:52 pm IST)