Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

મનહરપ્લોટમાં આર્થિક ભીંસથી કંટાળી કારખાનેદારે ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી

જીતેન્દ્રભાઇ ચાવડાના મોતથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૮: આર્થિક ભીંસ વધુ એકને ભરખી ગઇ છે. મનહરપ્લોટ-૧૧માં રહેતાં જીતેન્દ્રભાઇ ભીખુભાઇ ચાવડા (ઉ.વ.૪૮) નામના કારખાનેદારે ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જીતેન્દ્રભાઇ ચાવડાએ સવારે ઘરે ઝેર પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.  બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર જીતેન્દ્રભાઇ ભાગીદારીમાં કોઠારીયા રોડ ક્રિષ્ના ફાટક પાસે અમૃત ઉદ્યોગ શેરીમાં સીએનસીનું ભાગીદારીમાં કારખાનુ ચલાવતાં હતાં. પણ કોરોના કાળ પછી સતત મંદી આવતી જતી હોઇ અને એ કારણે હાલમાં આર્થિક ભીંસ ઉભી થઇ હોઇ ચિંતાને કારણે તેમણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

જીતેન્દ્રભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. મોભીના આ પગલાથી નાડોદા રાજપૂત પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

(2:51 pm IST)