Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

રાજપૂત સમાજમાં પ્રવર્તમાન દુષણો, મહિલાઓને થતી તકલીફો- દહેજ પ્રથાને દૂર કરવા બહેનોએ ચર્ચા કરી

રાજકોટઃ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ના કાર્યકારી હોદ્દેદારોની એક બેઠક જડડુસ રેસ્ટોરન્ટમાં મળેલ. જેમાં રાજપૂત સમાજમાં પ્રવર્તમાન અમુક દૂષણો, મહિલાઓને થતી તકલીફો, દહેજ પ્રથા અને અન્ય તકલીફો કઈ રીતે દૂર કરવી તેની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે સમાજને એક સાથે રાખી કઈ રીતે આગળ વધી શકીએ તેની પણ ચર્ચા કરવામાં આવી સાથે નારીશકિતને કઈ રીતે વધુ ને વધુ તક આપવામાં આવે તેની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું  હતુ. આ બેઠકમાં નયનાબા જાડેજા ,પદ્મિની ગીરીરાજસિંહ વાળા ,ગીતાબા જયરાજસિંહ ચુડાસમા, હિનાબા ઉપેન્દ્રસિંહ ગોહિલ, ભાવનાબા અજયસિંહ વાઘેલા, કૈલાશબા મનહર સિંહ ઝાલા, કૃપાલીબા કુલદીપ સિંહ જાડેજા, રેખાબા વાળા , ભાવનાબા અજયસિંહ વાઘેલા , નયનાબા દિલીપસિંહ જાડેજા, કીર્તિબા ભવાનસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)