Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

જામનગર રોડ પર ટ્રકે એકટીવાને ઠોકર મારતા વૃધ્ધ તબીબ બીપીનભાઇ દોશીનું મોત

વૃધ્ધ તબીબ પત્ની કલાબેન સાથે સબંધીની ખબર પુછવા માટે હોસ્પીટલે જતા' તા

રાજકોટ તા ૧૮ : જામનગર રોડ, નાગેશ્વર સોસાયટી નજીક ટ્રકના ચાલકે એકટીવાને ઠોકર મારતા વણીક વૃધ્ધ તબીબનું મોત નિપજયું હતું

મળતી વિગત મુજબ નેમીનાથ સોસાયટી બ્લોક નં. ૫૬ માં રહેતા વણીક વૃધ્ધ તબીબ બીપીનભાઇ રેવાશંકરભાઇ દોશી (ઉ.વ. ૭૨) અને તેમના પત્ની ઇલાબેનને ત્રણ દિવસ પહેલા પોતાના જીજે-૩ બીડી ૪૨૬૫ નંબરના એકટીવા પાછળ બેસાડીને સબંધીની ખબર કાઢવા માટે જામનગર રોડ પર આવેલી યુનીકેર હોસ્પીટલે જતા હતા ત્યારે જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી નજીક પહોંચતા જીને-૬ એકસ ૮૮૭૩ નંબરના ટ્રકના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા બંને ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં વણીક વૃધ્ધ બીપીનભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે ગાંધીગ્રામ પોલીસે મૃતક બીપીનભાઇના પુત્ર આનંદભાઇ દોશીની ફરિયાદ પરથી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. આર. જે. જાડેજા એ તપાસ ખાદરી છે.

પટેલ કારખાનેદારનું બેભાન હાલતમાં મોત

નીર્મલા કોન્વેન્ટ રોડ પર ફાયર બ્રિગેડ સામે બાલમુકુંદ શેરી નં.૧ મા રૂષી એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ કારખાનેદાર બ્રીજેશભાઇ મનહરભાઇ પટલ (ઉ.વ.૪૪) ગઇકાલે અચાનક બેભાન થઇ જતાં તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઇ. રવજીભાઇ પટેલ  અને રાઇટર સુરતીબેન લાંબાએ કાર્યવાહી કરી હતની. (૩.૧૧)

(2:24 pm IST)