Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભગવતીપરામાં ફિરોઝાબેન ઘાંચીને કાકીજી અને દેરાણીએ માર માર્યો

રાજકોટ તા. ૧૮: ભગવતીપરામાં રહેતાં ફિરોઝાબેન ગુલાબભાઇ વડદરીયા (ઉ.૪૦) નામના ઘાંચી મહિલા સવારે સાડા દસેક વાગ્યે બાજુના મિંયાણાવાસમાં ગયા ત્યારે તેના કાકીજી ફાતેમાબેન અને દેરાણી આબેદાબેને ઝઘડો કરી લાકડી અને ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી. જુના મનદુઃખને લીધે આ માથાકુટ થયાનું અને અગાઉ પણ બે વખત આ રીતે મારકુટ કરી લેવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

(3:48 pm IST)