Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પુનીત સોસાયટીમાં માનસીક બીમારીથી કંટાળી પરેશભાઇ બોરીયાનો આપઘાત

રાજકોટ તા.૧૮: કોઠારિયા રોડ પર આવેલી પુનીત સોસાયટીમાં માનસીક બીમારીથી કંટાળી લોહાણા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર પુનીત સોસાયટીમાં રહેતા પરેશભાઇ જીતેન્દ્રભાઇ બોરીયા (ઉ.વ.૪૫) એ ગઇકાલે નીચેના રૂમમાં પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના ભાઇ અને ભાભી જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ના ઇએમટી વંદનાબેને તેનું મોત નિપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતુ મૃતક પરેશભાઇ અપરણીત હતા. તે બે ભાઇમાં નાના હતા. તેના મોટાભાઇ જમીન-મકાન લેવેચનો વ્યવસાય કરતા હોઇ તેથી તે તેની ઓફીસે બેસતા હતા. તે ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતા હોઇ તેથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે આ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પીપરોતર તથા રાઇટર મયુરભાઇ મીયાત્રાએ તપાસ આદરી છે.

બેભાન હાલતમાં વૃધ્ધનું મોત

કોઠારિયા સોલવન્ટમાં ત્રણ મળીયા કવાટરમાં મહેતા અંબાલાલ નટવરલાલ ઉપાધ્યાય (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ સી એમ ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)