Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

નવા થોરાળામાં પૂરવઠાનો દરોડો ૬૧ હજારનો માલ સીઝ : ઘઉં-ચોખા-ખાંડ સીઝ કરાયા

રાજકોટ, તા.૧૮: રાજકોટ જીલ્લા પુરવઠા અધીકારીને મળેલી ફરીયાદ બાદ, તેમની સૂચનાથી પૂરવઠા ઇન્સ્પેકટરોએ નવા થોરાળામાં સસ્તા અનાજના દુકાનદારને ત્યાં દરોડો પાડી ૬૧ હજારનો જથ્થો સીઝ કરી વધુતપાસ હાથ ધરી છે. નવા થોરાળાના સસ્તા અનાજ દુકાનદાર ચાવડા બચૂભાઇ દ્વારા ઓછોમાલ અપાતો હોવાની-સ્ટોક રજીસ્ટર નહી હોવાની ફરીયાદો આવી હતી આપછી તંત્ર દ્વારા તપાસણી હાથ ધરાતા ગેરહાજર જણાતા, ૬૧ હજારની કિંમતના ઘઉં-ચોખા-ખાંડ સીઝ કરી દેવામાં હતા. દરોડાની આ કાર્યવાહી ઇન્સ્પેકરો રસમુખ પસલાણીયા, વીજય રાદડીયા દ્વારા કરાઇ હતી.

(4:03 pm IST)