Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

શાપરમાં ૨૪ વર્ષની ધારા વઘેરાનું બેભાન થઇ ગયા બાદ મોત

મુંબઇના ગીતાબેન જેતપુરના થાણા ગાલોળમાં ભાઇના ઘરે બેભાન થયાઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતી ધારાબેન હરેશભાઇ વઘેરા (ઉ.વ.૨૪)ને ત્રણેક વર્ષની સંધીવા સહિતની બિમારી હોઇ અને હાલમાં કમળો થઇ જતાં ૧૫મીએ ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે શાપર પોલીસને જાણ કરી હતી. ધારાબેન ત્રણ બહેનમાં નાની હતી. તેના પિતા પેઇન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવે છે.

બીજા બનાવમાં મુંબઇ કાંદીવલીના ગીતાબેન ભાનુશંકર જોષી (ઉ.વ.૪૫) જેતપુરના થાણાગાલોળ ગામે ભાઇના ઘરે આવ્યા હોઇ શ્વાસની બિમારીને કારણે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. 

થોરાળાના રંજનબેન જેતાણીનું બેભાન હાલતમાં મોત

નવા થોરાળા પોલીસ સ્ટેશન સામે રહેતાં રંજનબેન રમેશભાઇ જેતાણી (ઉ.વ.૫૦) શ્વાસની બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણીના પતિ મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(4:17 pm IST)