રાજકોટઃ તા.૧૮ : આજે અખાત્રીજની સાથે ભગવાન શ્રી વિષ્ણુના છઠા અવતાર પરશુરામ દાદાની જન્મજયંતિની રાજકોટમાં ભાવભેર ઉજવણી કરાઇ હતી.
ત્રિકોણબાગ તેમજ કિસાનપરા ખાતે સ્થાપન કરવામાં આવેલ ભગવાન પરશુરામજીની મુર્તિ સમક્ષ સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
દરમિયાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હોય સાંજના ૪ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદીરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. માર્ગો પરશુરામજીના જયજયકારથી ગુંજી ઉઠયા હતા.
જેમાં પરશુરામ દાદાનો રથ, ગાયત્રી યજ્ઞનો રથ, વિવિધ ક્રાંતિકારીઓની ઝાંખીનું પ્રદર્શન કરતા ફલોટ્સ તેમજ ઋષીમુનિઓ દ્વારા ચાલી આવતી પ્રાચીન પરંપરાના ફલોટ્સ તથા ડી.જે. રથ તથા બાઇકો અને ફોર વ્હીલર મોટી સંખ્યામાં જોડાયા હતા.
પંચનાથ મંદિરેથી આગળ પ્રસ્થાન પામેલ આ શોભાયાત્રા ત્રિકોણબાગ, ગસ્ફોર્ડ ટોકીઝ, માલવીયા ચોક, ડો. યાજ્ઞિક રોડ, ઇજનેર કચેરી, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જાગનાથ પોલીસ ચોકી, સર્વેશ્વર ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી રોડ, હનુમાનમઢી ચોક, બ્રહ્મ સમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા રોડ, રૈયા ગામથી વેજાગામ રોડ, પરશુરામ ધામ ખાતે ૭:૩૦ કલાકે પુર્ણ થશે. જયાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
આયોજનને સફળ બનાવવા પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો સર્વેશ્રી ભરતભાઇ ઓઝા, મનીષભાઇ જોશી, કશ્યપભાઇ ભટ્ટ, મિલનભાઇ જોશી, મોહિતભાઇ ઉપાધ્યાય, જેન્તીભાઇ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ દવે, પ્રતિકભાઇ બલભદ્ર, દિવ્યેશભાઇ જોશી, ચેતન જોશી, ઉમંગ ભટ્ટ, દીપ વ્યાસ, પ્રણવ વ્યાસ, પ્રશાંત રાજયગુરૂ, મિહિર પુરોહિત, વિશાલ પાંડે, ધર્મેશ જોશી, હર્ષ જોશી, જતીન મહેતા, ઇન્દ્ર પંડયા, ધૈર્ય ઉપાધ્યાય, રીતીન પંડયા, મંયકભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, આશીતભાઇ જોશી, પ્રતીકભાઇ પંડયા, વિમલભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, મેહુલભાઇ જોશી, ચિંતન વ્યાસ, જયજાની, ગૌરવ જોશી, રાજુભાઇ જોશી (સોલવંટ), કશ્યપભાઇ ઠાકર, મોહિતભાઇ ઠાકર, જીતેનભાઇ ઠાકર, ચિત્રાંકભાઇ વ્યાસ, આશિકભાઇ વ્યાસ, વિરલભાઇ ભટ્ટ, ધનંજયભાઇ દવે તેમજ મહિલા સમિતિના કિરણબેન જોશી, હિરલબેન બલભદ્ર, માહિ પંડયા, ગુંજન દવે તૃપ્તી ત્રિવેદી, રૂચિતા જોશી, બીનલ જાની, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસ, હિરલ સોનપરા, અલ્પા જોશી, જીજ્ઞાબેન જાની, તોરલ જોશી, પાયલ મહેતા, જાનકી રતેસ્વર, ઉર્વશી રતેસ્વર, ક્રિષ્ના રાવલ, પ્રગતિ રાવલ, ડોલી ચંદ્રા વિ. જહેમત ઉઠાવી રહયા છે. (૧૬.૬)