Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જીતુભાઈ મહેતાના નિવાસસ્થાને ભગવાન પરશુરામજીનું મહાપૂજન

રાજકોટ : આજરોજ ભગવાન પરશુરામજીના જન્મોત્સવનો અંતર્ગત સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મઅગ્રણી જીતુભાઈ મહેતાના રામનાથપરા ખાતે આવેલ નિવાસસ્થાને ભગવાન શ્રી પરશુરામજીનું મહાપૂજન - અર્ચન તથા મહાઆરતીનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારથી ભગવાન શ્રી પરશુરામજીનું પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, યુવા પાંખ પ્રમુખ સમીર ખીરા, અજયભાઈ પરમાર, નિરંજનભાઈ દવે, ભુદરભાઈ પંડ્યા, હિરેનભાઈ મહેતા, અજયભાઈ સાતા, ગજાનંદભાઈ દવે, ઉત્તમભાઈ જાની, હરેશભાઈ જોષી, જયંત ઠાકર સહિતના ભૂદેવોએ મહાપૂજનનો લાભ લીધો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૮)

(4:29 pm IST)