Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ત્રિકોણબાગે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામજીની આરતી-સત્યનારાયણ કથા

રાજકોટઃ ભગવાનશ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે દરરોજ સાંજે મહાઆરતી અને સાંસ્કૃતીક કાર્યક્રમો મહિલા સમિતિ દ્વારા કરવામાં આવે છે જેમાં ગઇકાલે બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, મુરબ્બીઓ તથા યુવા મિત્રો અને મહિલા સમિતી દ્વારા પરશુરામ દાદાની આરતી કરવામાં આવેલ હતી. ત્યારબાદ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવેલ હતું. મેયર જયમનભાઇ ઉપાધ્યાયએ પણ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમો માટે પરશુરામ જન્મોત્સવ સમિતિના ભરતભાઇ ઓઝા, મોનીશભાઇ જોશી, કશ્યપભાઇ ભટ્ટ, મિલનભાઇ જોશી, મોહિતભાઇ ઉપાધ્યાય, જેન્તીભાઇ ત્રીવેદી, જીજ્ઞેશભાઇ દવે, પ્રતિકભાઇ બલભદ્ર, દિવ્યેશભાઇ જોશી, ચેતન જોશી, ઉમંગ ભટ્ટ, દિપ વ્યાસ, પ્રણવ વ્યાસ, પ્રશાંત રાજયગુરૂ, મિહીર પુરોહિત, વિશાલ પાંડે, ધર્મેશ જોશી, હર્ષ જોશી, જતીન મહેતા, ઇન્દ્ર પંડયા, ધેર્ય ઉપાધ્યાય, રીતીન પંડયા, મયંકભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, આશીતભાઇ જોશી, પ્રતીકભાઇ પંડયા, વિમલભાઇ દવે, રાજાભાઇ ભટ્ટ, મેહુલભાઇ જોશી, ચિંતન વ્યાસ, જય જાની, ગૌરવ જોશી, રાજુભાઇ જોશી (સોલવંટ) કશ્યપભાઇ ઠાકર, મોહિનભાઇ ઠાકર, જીતેનભાઇ ઠાકર, ચિત્રાંકભાઇ વ્યાસ, આશિકભાઇ વ્યાસ, વિરલભાઇ ભટ્ટ, ધનંજયભાઇ દવે વિગેરે તેમજ મહિલા સમિતિના કિરણબેન જોશી, હિરલબેન બલભદ્ર, માહિ પંડયા, ગુંજન દવે, તૃપ્તી ત્રીવેદી, રૂચીતા જોશી, બીનલ જાની, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસ, હિરલ સોનપરા, અલ્પા જોશી, જીજ્ઞાબેન જાની, તોરલ જોશી, પાયલ મહેતા, જાનકી રતેસ્વર, ઉર્વશી રતેસ્વર, ક્રિષ્ના રાવલ, પ્રગતી રાવલ, ડોલી ચંદ્રા વગેરે જહેમત ઉઠાવી હતી. (૭.૩પ)

(4:29 pm IST)