Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રૂ.પ૦માં ચકલીના લાકડાના ઘર

ગાયના દૂધના પેંડા, રૂ. ૪૦૦ના કિલોઃ કાપડના બોરા અને પાથરણા રાહતદરેઃ રવિવારે નવરંગનો કાર્યક્રમ નાના મવા સર્કલ પાસે મહાપાલિકાના મેદાનમાં જબ્બર રિસ્પોન્સ

રાજકોટ તા. ૧૮ :.. નવરંગ દ્વારા રવિવારે લાકડાના ચકલી ઘર,ગાયના દૂધના પેંડા, વિવિધ માટીના વાસણો રાહત દરે વિતરણ થશે.

દેશી ગાયનું ઘી ૧ કિલોના રૂ. ૮૦૦, દેશી મુખવાસ, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે., વિવિધ જાતના માટીના વાસણો માત્ર રૂ. ૧૦, વિવિધ જાતના ફળો રાહત દરે મળશે., લીલા નાળિયેર કિંમત રૂ. ર૦, વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે., પુઠાના ચકલી ઘરઃ ચલી ઘર રૂ. ૧૦, વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા કિંમત રૂ. ૧૦, ઓર્ગેનીક મગ-૧ કિલોના રૂ. ૮૦, તરબુચ-૧ કિલોના રૂ. ર૦, રાહત દરે લીંબડા સાબુ, બીજોરાનું સરબત રૂ. ૧૦, આદુ ૧ કિલોના રૂ. ૬૦, હાથ વણાટના પાપડ, આંબલીનું વેચાણ-૧, કિલોના રૂ. ૪૦, લાકડાના ચકલી ઘર કિંમત રૂ. પ૦.

ગાયના દૂધના પેંડા : ગઢડા સ્વામીના ખેડૂત કે જેઓ પોતાની ગાયના દૂધના પેંડા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના પેંડા ૧ કિલોના રૂ. ૪૦૦.

કપડાની થેલી : લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ. પ અને ર૦ અહીં વેચાઇ છે. આની ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ આ સમયની જરૂરીયાત છે.

કાપડના બોરા અન કાપડના પાથરણા રાહત દરે મળશે.

દેશી બીયારણઃ વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દૂધી, રીંગણા, ચોળી, સરગવો, પપૈયા, ગાજર, પાલક પેકેટની કિંમત માત્ર રૂ. ૧૦ દેશી બીયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે આપ આ બીયારણ વાવી દેશી બીયારણને બચાવવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

આદુ : આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખૂબ જ ફાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા, જાડાપણું અને મેદઘટાડે છે. હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે છે. આમવાત (એસીડીટી), સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

અગરબતીઓ : ઘર બેઠા રોજગારીઓનું નિર્માણ થાયતેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડ : કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહતદરે મળશે., લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ, મધ (પ્રવાહી સોનું), અહીં માત્ર રૂ. ર૪૦ ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે., લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦ ની મળે છે અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦ માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણ : (૧) આમળાં પાવડર (ર) પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દૂધ સાથે લેવું), (૪) ફુદીના પાવડર (પ) લેમન હરબલ ટી પાવડર (૬)  લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર (દૂધ સાથે લેવું), (૮) કાચી કેરીનો પાવડર (૯) લીંબુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦ ટકા ઓર્ગેનીક છે અને પ્રવાસમાં આ પાવડરો ખૂબ જ કામ આવે છે અને તાત્કાલીક સરબત બનાવી શકય છે અને સ્કૂર્તિ મળે છે અને આ ખેત પેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ વાપરવાથી ખેડૂતોને આડકતરી રોજગારી મળતી હોય છે. એક નાનું  પેકેટ રૂ. ૧૦ માં મળતું હોય છે અને એક બોક્ષમાં ૧૦ પેકેટ આવતા હોય છે.

સુપ : પાણી ઉકાળી તેમાં પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે.

૧. પાલક સુપ, કારેલા સુપ, મકાસ સુપ, ટમેટા સુપ : ભુખ લગાડે, શકિત વધારે,  લોહી શુધ્ધ કરે, વિટામીન-સી મળે છે.

સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૩૦ લેખે મળશે.

બધા જ સુપો ૧૦૦ ટકા નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

આ કાર્યક્રમ ૧પ૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, બી. આર. ટી. એસ. બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ ખાતે તા. રર-૪-ર૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે. વધારે વિગતો માટે વી. ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે. (પ-ર૦)

(4:17 pm IST)