Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કીસાનપરા ચોક માં ભાજપ દ્વારા પરશુરામજીની મહાઆરતી

 રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઇષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજી જન્મોત્સવ મનાવવામાં આવી રહયો છે કીસાનપરા ચોક ખાતે ભુદેવો ધ્વારા દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત મૂર્તી સ્થાપન કરાયેલ ત્યા શહેર ભાજય પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા પરશુરામજીની આરતી ઉતારી ધન્યતા પ્રાપ્ત કરવામાં આવી હતી તેમજ આ તકે શહેરના તમામ ભુદેવોને ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવવામાં આવેલ.

(4:07 pm IST)