Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

શ્રી રામ ગૌ સેવા મંડળ દ્વારા રવિવારે ૧૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્ન

કરીયાવરમાં ૧૨૧ વસ્તુઓ અપાશે : સંતો - મહંતો આર્શીવચન પાઠવશે

રાજકોટ, તા. ૧૮ : શ્રી રામ ગૌ સેવા મંડળ દ્વારા આગામી તા.૨૨ના રવિવારે કોઠારીયા રીંગ રોડ, બાયપાસ, પીરવાડીની બાજુમાં, વાડીવાળા મેલડીમાંના સાનિધ્યમાં જલારામધામ ખાતે ૧૧ દિકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં કરીયાવરમાં દિકરીઓને વિમા પોલીસી સહિત ૧૨૧ વસ્તુઓ આપવામાં આવશે. આ તમામ દિકરીઓ માતા - પિતા વિહોણી છે.

આ પ્રસંગે શ્રી કાનભારતી બાપુ (રાજસ્થાનવાળા), આર્શીવચન પાઠવશે. વિજયભાઈ બી. નકુમ (સતાપરવાળા), જેન્તીભાઈ પુનાભાઈ પરમાર, તુલસીભાઈ વી. મકવાણા, લાભુભાઈ લખમણભાઈ ચાવડા, લાખાભાઈ સગર, મહેશભાઇ કાકડીયા, હાર્દિકભાઈ વેકરીયા, ગોવિંદભાઈ આહિર, લાખાભાઈ આંબાભાઈ સગર તેમજ સાહિત્ય કલાકાર માનભા ગઢવી, બલરાજભાઈ ગઢવી તેમજ ગોવિંદભાઈ હેરભા, જયોતિદાન ગઢવી ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા નિમાવત મનોજભાઈ (ત્રંબા) (મો.૮૧૨૮૧ ૯૩૩૦૦), જેન્તીભાઈ પુનાભાઈ પરમાર (વાડાધરી, ગોંડલ તાલુકામાં સેવાકીય પ્રવૃતિ કરે છે) (મો.૯૭૨૫૬ ૫૨૬૩૦), ભુપતભાઈ છગનભાઈ આસોડીયા (રાજકોટ), નેનુંજી જમનાદાસ, વિજયભાઈ બી. નકુમ, રમેશભાઈ મગનભાઈ લોટીયા, હિનાબેન રમેશભાઈ લોટીયા, બલરાજભાઈ ગઢવી, પિયુષ મારાજ, પાંડે (પંડ્યા) સુરજકુમાર તથા જાગૃતિકુમારી, કારાભાઈ કેશાભાઈ (વાડાધરી), લાભુભાઈ લખમણભાઈ ચાવડા, ધીરૂભાઈ આહિર તેમજ રમેશભાઈ આહિર, વિરાસ જાગૃતિબેન (મો.૮૧૫૫૦ ૯૩૩૦૦), પાંડે સુરજકુમાર (મો.૮૧૪૦૪ ૫૬૨૦૮) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા (૩૭.૧૩)

(4:07 pm IST)