Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી વિનોદભાઇ સોંદરવાનું એકટીવા સળગાવ્યું

આંબેડકર ભવન પાસે બનાવઃ શાંતાબેન સોંદરવાની ફરિયાદ પરથી અશોક સીંધવ અને શૈલેષ સીંધવ સામે ગુનો

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ પર આંબેડકર ભવન પાસે અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી વણકર પ્રોઢનું એકટીવા બે શખ્સોએ સળગાવી નુકશાન કયું હોવાની ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ ધનશ્યાનનગર - ૩માં રહેતા વિનોદભાઇ મુળજીભાઇ સોંદરવા એ મોડી રાત્રે કોઠારીયા રોડ પર આંબેડકરભવન પાસે પાર્ક કરેલ જી.જે. ૩.એચ.એસ.૭૭૩૬ નંબરનું એકટીવા જંગલેશ્વર મહાત્માગાંધી સોસાયટીમાં રહેતા અશોક ગોવિંદભાઇ સીંધવ અને શૈલેષ ગોવિંદભાઇ સીંધવ એ કોઇ જલદ પદાર્થ નાખી એકટીવાના પાછળનો ભાગ તથા આગળનો ભાગ તથા બંન્ને ટાયર સળગાવી નાખ્યા હતા. જાણ થતા વિનોદભાઇ તેની પત્ની શાંતાબેન ઉર્ફે જોશનાબેન સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ કરતા ભકિતનગર પોલીસ મથકમા પી.એસ.આઇ એમ.ડી.વાળા તથા રાઇટર રણછોડભાઇએ સ્થળ પર પહોંચી શાંતાબેન ઉર્ફે જોશના બેન સોંદરવાની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે. આ બનાવમાં દલિત મહિલાના પતિને અગાઉ આ બંન્ને શખ્સો સાથે માથાકુટ થઇ હોય તે બાબતનો ખાર રાખી આ બંન્ને શખ્સોએ એકટીવા સળગાવ્યુ હોવાનું ખુલ્યું હતું. (૧.૧૫)

(2:02 pm IST)