Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પુષ્કરધામ પાસે આવાસ યોજના કવાર્ટરમાં ચંપાબેન ચૌહાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

દાઢના દુઃખાવાથી કંટાળી વણકર મહિલાએ પગલું ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૧૮ : પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ સોસાયટી સામે આવાસ યોજના કવાટરમાં રહેતી વણકર મહિલાએ દાઢના દુઃખાવાથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કેવલમ સોસાયટી સામે આવાસ યોજના કવાર્ટર નં.ર૭/૧૬૬૦ માં રહેતા ચંપાબેન નારણભાઇ ચૌહાણ (ઉ.૪૦) એ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો તેનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તેણે દરવાજો ખખડાવતા દરવાજો અંદરથી બંધ હતો બાદ દરવાજો તોડી જોતા ચંપાબેન લટકતી હાલતમાં જોતા તેણે તાકીદે ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના તબીબે જોઇ તપાસી ચંપાબેનનું  મોત નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ. કે.આર. કનાબાર તથા રાઇટર બ્રીજરાજસિંહે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક ચંપાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

ગઇકાલે પતિ નારણભાઇ પ્રસંગમાં ગયા હતા અને પૂત્ર મજુરી કામે ગયો હતો. તે ઘણા સમયથી દાઢના દુઃખાવાથી પીડાતા હોઇ, તેથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું.(૬.૧૪)

(2:02 pm IST)