Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નાણાવટી ચોક ક્‍વાર્ટરમાં બેભાન થઇ ગયા બાદ ગીતાબેનનું મોત

રાજકોટ તા. ૧૮: ગાંધીગ્રામ નાણાવટી ચોક આરએમસી ક્‍વાર્ટરમાં રહેતાં ગીતાબેન કાંતિભાઇ અઘારા (ઉ.વ.૪૫) રાતે સવા બારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનારના પતિ બકાલાનો ધંધો કરે છે. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે.  હેડકોન્‍સ. વિજયભાઇ બાલસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)