Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કાલે રકતદાન કેમ્‍પ- મા અમૃતમ કાર્ડ કેમ્‍પ- પક્ષીઓના માળા- પાણીની કુંડી રામપાતરનું વિતરણ

જશવંતીબેન ખખ્‍ખરની પુણ્‍યતિથિ નિમીતે સિવિલના લાભાર્થે આયોજન

રાજકોટઃ બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્‍વ.જશંવતીબેન ભુપતભાઈ ખખ્‍ખરની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમીતે સિવીલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડિત બાળકોનાં લાભાર્થે, સ્‍વામીનારાયણ ચોક, પી.ડી.માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે તા.૧૯ રવિવારે સવારે ૯ થી ૧ સુધી રકતદાન કેમ્‍પ, જરૂરીયાતમંદ લોકો માટે ‘માં અમૃતમ કાર્ડ કેમ્‍પ' તથા પક્ષીઓના માળા, પીવાના પાણીની કુંડી, રામપાતરનું વિતરણ કરવામાં આવશે. તમામ રકતદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્‍સાહીત કરાશે.

આ રકતદાન કેમ્‍પને સફળ બનાવવા માટે હિતેષભાઈ ખખ્‍ખર (બાલાજી), મિત હિતેષભાઈ ખખ્‍ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦), ધર્મેશભાઈ સોઢા, શ્‍યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિપભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા, સિધ્‍ધાર્થભાઈ ચૌહાણ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:46 pm IST)