Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા સોમવારથી બિહારમાં બે માસ સુધી નિઃશુલ્‍ક મહા નેત્રયજ્ઞ

‘મરીજ મેરે ભગવાન હૈ, મુજે ભુલ જાના પર નેત્રયજ્ઞ કો નહીં ભુલના' ગુરૂદેવના વચનોને સાર્થક કરવા

રાજકોટ તા. ૧૮ : પૂ. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ દ્વારા બિહારાના અતિગરીબ અને જરૂરતમંદ લોકોના લાભાર્થે તા. ૨૦ માર્ચથી તા. ૨૦ મે સુધી નિઃશુલ્‍ક મહાનેત્રયજ્ઞનું આયોજન કરાયુ છે.

સાસારામ (બિહાર) ખાતે યોજાનાર આ કેમ્‍પમાં દર્દી ભગવાનને ફેકોમશીનથી સોફટફોલ્‍ડેબલ નેત્રમણી સાથે રૂ.૨૦,૦૦૦ વાળુ ઓપરેશન નિઃશુલ્‍ક કરી અપાશે. સાથે ર કિલો ચોખા, પ૦૦  ગ્રામ મીઠી બુંદી, શુધ્‍ધ ઘી નો શીરો, એક એક ધાબળો, એક એક સાડી, કાળા ચશ્‍મા, દવા ટીપા, ગરમ ભોજન, નાસ્‍તો અને ભાડાના રૂ.૧૦૦ અપાશે.

‘મરીજ મેરે ભગવાન હૈ' તથા ‘મૂઝે ભુલ જાના પર નેત્રયજ્ઞ કો નહીં ભુલના' તેવા ગુરૂદેવના વચનોને સાર્થક કરવા આવા કેમ્‍પના આયોજનો કરવામાં આવતા હોવાનું શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ (મો.૮૪૬૦૯ ૨૮૫૦૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:32 pm IST)