Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અતુલીત ફાઉન્‍ડેશન દ્વારા કાલે ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પઃ રિપોર્ટ ૫૦ ટકા રાહત દરે કરી અપાશે

રાજકોટઃ અતુલિત ફાઉન્‍ડેશન દ્વારા તા.૧૯ રવિવારના રોજ સવારે ૯ થી ૧ આરવી સ્‍કૂલ બાપાસિતારામ ચોક પાસે, આલાપ રોયલ પામની સામે, ક્રિષ્‍ના પાર્ક શેરી નં.૨ મવડી ખાતે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં ડો.જયદીપ ઓધવાણી, ડો.હિરેન વિસાણી, ડો.હાર્દિક પનારા, ડો.કરન વાઘેલા, ડો.ઋષિકેશ દેશાણી, ડો.નિધી દુધરેજીયા, ડો.ઘનશ્‍યામ વોરા, ડો.સંદીપ બુટાણી સેવા આપશે.

આ કેમ્‍પને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ મનીષભાઈ આયડી, નિકુંજભાઈ ગંગડિયા, ઋત્‍વિજભાઈ ત્રિવેદી, પાર્થભાઈ સિદપરા, મિતુલભાઈ ગાજિપરા, સંજય ગોહેલ તથા વૈશાલી વિઠ્ઠલાણી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

 

રાષ્‍ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નું કાલે પરેલમાં મંગલ પદાર્પણ

પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહર સ્‍તોત્રની જપ સાધના : ‘‘સફળતા પાછળનું સાઇન્‍સ'' ટોક શો

રાજકોટ, તા. ૧૮ : રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ મુંબઈના અનેક ક્ષેત્રોની સ્‍પર્શના કરતાં કરતાં પરેલની ધરા પર મંગલ પદાર્પણ કરી રહ્યા છે ત્‍યારે પરેલના ભાવિકોના હૃદયમાં અનેરા આનંદ-ઉત્‍સાહ વર્તાઈ રહ્યાં છે.

 આવતીકાલે રવિવારના દિવસે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે લયબદ્ધ સ્‍વરે પરમાત્‍મા પાર્શ્વનાથની ઉત્‍કળષ્ટ ભક્‍તિ સ્‍તવના સ્‍વરૂપ મહાપ્રભાવક શ્રી ઉવસ્‍સગ્‍ગહરં સ્‍તોત્રની દિવ્‍ય જપ સાધનાનું પાવનકારી આયોજન કરવામાં આવ્‍યું છે.

આજના સમયમાં ફાસ્‍ટ ફૂડ, ફાસ્‍ટ મની સાથે ઇન્‍સ્‍ટન્‍ટ સફળતા પામવા માટે યુવાપેઢીના હૃદયમાં ઉઠતાં અનેક પ્રકારના પ્રશ્નો અને જિજ્ઞાસાનું સમાધાન આપતાં અનોખા ટોક શૉનું આયોજન પણ આ અવસરે કરવામાં આવ્‍યું છે. ૅસફળતા પાછળનું સાઈન્‍સૅ અંતર્ગત પરમ ગુરુદેવ સાથેના આ ટોક શૉમાં પરમ ગુરુદેવની વિઝનરી વિચારધારા અને લોજીક સાથેનું માર્ગદર્શન આપવામાં આવશે.    

પરેલની ધરા પર પ્રથમવાર પધારી રહેલા પરમ ગુરુદેવના સાંનિધ્‍યે સમગ્ર કાર્યક્રમ સવારના ૦૯.૩૦ કલાકથી પરેલ સ્‍થિત રાજકમલ સ્‍ટુડિયો ખાતે આયોજિત કરવામાં આવ્‍યો છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરનો લાભ લેવા માટે પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(3:25 pm IST)