Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પુનીત સઘ્‍ગુરૂ ભજન મંડળ દ્વારા ચિરાગભાઇ કેસરીયાને શ્રધ્‍ધાસુમન અર્પણ

રાજકોટ તા.૧૮: શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળના માધ્‍યમથી જાણીતા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી કિરણબેન તથા પ્રભુપ્રકાશભાઇ કેસરીયાના સુપુત્ર ચિરાગભાઇને શ્રીપુનિત સદગુરૂ ભજન મંડળના ભાવિકો દ્વારા શ્રધ્‍ધાસુમન અર્પણ કરવાના પુનિત કાર્યક્રમનું આયોજન રેલનગર ખાતે કેસરિયા પરિવારના  નિવાસ સ્‍થાને થયેલ ઉપરાંત મંજુલાબેન કાંતિલાલ વ્‍યાસને તેમના જન્‍મદિવસે નિમિતે પણ સંતપુનિતના ભજનો દ્વારા  પુણ્‍ય અર્પણ કરવામાં આવેલ રૂબરૂ તથા ટેકનોલોજીના માધ્‍યમથી જયશ્રીબેન તથા જયેશભાઇ નથવાણી ઉપરાંત સભ્‍યો ભાવિકો સર્વશ્રી ભકિતદાનભાઇ ગઢવી(લોકગાયક), કાંતીભાઇ પાડલીયા, સંજયભાઇ ગેરા, દિનેશભાઇ ચાવડા,  કાંતીભાઇ ચુડાસમા, મનસુખભાઇ વરીયા, મહેન્‍દ્રભાઇ માંડલીયા, નારણભાઇ લીંબાસીયા, કિશોરભાઇ કચ્‍છી, નેવીલભાઇ(વાયરમેન), (કાનાબાર), હસુભાઇ તબલ્‍ચી, ભરતભાઇ ગોંડલીયા, સુભાષ રાજાણી, રાણપરા રમણીકભાઇ, બાલમુકુંદભાઇ, ચંદ્રેશભાઇ અશોકભાઇ રાચ્‍છ, કૃષ્‍ણવદન સવદાસ, અરવિંદભાઇ જેઠવા(ભજનીક), કલ્‍પેશભાઇ માંડલીયા, બાબુભાઇ પેંડાવાળા, જયશ્રીબેન જોબનપુત્રા, જશ્‍મીનાબેન પી.મોદી, ભરતભાઇ ગોલાણીયા ઉપરાંત ક્રિષ્‍નાબેન જોબનપુત્રા તથા ગુણવંતભાઇ ઠકકર(અમદાવાદ)નો સહયોગ પ્રાપ્ત થયેલ. કેસરીયા પરિવારને સંસ્‍થા તરફથી ધાર્મિક વસ્‍તુઓ પ્રસાદીરૂપે ભેટ આપવામાં આવેલ સંચાલન જયેશભાઇ નથવાણી દ્વારા થયેલ

(3:21 pm IST)