Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

જામનગરથી કયા વાહનમાં રાજકોટ આવવું? તે મામલે પતિ સાથે ઝઘડો થતાં પતિએ ઝેર પીધું

રામનાથપરાના યુવાને રામનાથ મહાદેવ મંદિર પાસે દવા ગટગટાવી લીધી

રાજકોટ તા. ૧૮: પતિ-પત્‍નિ વચ્‍ચે કોઇને કોઇ વાતે ચડભડ થતી રહેતી હોય છે. ઘણીવાર કોઇને માઠુ લાગે તો બેમાંથી એક આપઘાતનો પ્રયાસ પણ કરતાં હોય છે. રામનાથપરામાં રહેતાં યુવાનને જામનગરથી રાજકોટ કયા વાહનમાં બેસીને આવવું? તે બાબતે પત્‍નિ સાથે ચડભડ થતાં રાજકોટ આવ્‍યા બાદ રામનાથ મંદિર પાસે જઇ ઝેર પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો.

રામનાથપરા-૧૬માં રહેતો પ્રવિણભાઇ છગનભાઇ બાંભણીયા (ઉ.વ.૩૬) સાંજે સાડા આઠેક વાગ્‍યે રામનાથ મંદિર પાસે ઝેર પી જતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. પ્રવિણભાઇ કારખાનામાં ચાંદી કામ કરે છે અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે. ગઇકાલે પરિવારજનો જામનગર સમુહ લગ્નમાં ગયા હતાં. સાંજે પરત રાજકોટ આવતી વખતે બસમાં આવવું કે પ્રાઇવેટ ગાડીમાં? એ મામલે પતિ-પત્‍નિ વચ્‍ચે ચડભડ થતાં તેને માઠુ લાગી જતાં સાંજે ઘરે પહોંચી નજીકના મંદિર પાસે જઇ જીવાત મારવાની દવા પી લીધાનું સગાએ જણાવ્‍યું હતું.

(1:12 pm IST)