Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

માધવપુર મેળો : રાજકોટ કલેકટરને ૭૦ બસો ફાળવાશે

સંતો-વૈષ્‍ણવ સંપ્રદાય-કૃષ્‍ણપંથી-ઇસ્‍કોન મંદિરના અનુયાયીઓ માટે ખાસ વ્‍યવસ્‍થા કરાશે

રાજકોટ તા. ૧૮: રાજકોટ કલેકટર કચેરી ખાતે માધવપુરના મેળા અંગે રાજકોટ સહિત પાંચ જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે વિડિયો કોન્‍ફરન્‍સ યોજાઇ હતી.

આ વર્ષે માધવપુરના મેળાનું આયોજન ૩૦ માર્ચથી ૦૩ એપ્રિલ સુધી કરાયુ છે. આ વર્ષના મેળાના આયોજન અંગેની રૂપરેખા અને મેળાની તમામ વ્‍યવસ્‍થા વિશે પી.પી.ટી.ના માધ્‍યમથી વિસ્‍તૃત ચર્ચા કરાઇ હતી.

આ મેળા માટે રાજકોટ જિલ્લાને ૭૦ બસ ફાળવવવામાં આવશે. જેના થકી સાધુ સંતો, વૈષ્‍ણવ સંપ્રદાય, કૃષ્‍ણપંથી ભક્‍તો, ઇસ્‍કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના લોકો માટે વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવશે. જિલ્લામાં અભ્‍યાસ કરતા ઉતર પૂર્વ ભારતના  વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા અંગે સુચના આપવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત જિલ્લાના ખાનગી પ્રવાસન આયોજકોને સામેલ કરી ખાસ સુવિધા પૂરી પાડવા અંગે ચર્ચા કરાઇ હતી. મેળાનો મુખ્‍ય પ્રસંગ એટલે રુક્‍મણિજીના વિવાહ, દરિયાકાંઠે  રેત શિલ્‍પકારોની કલાનું પ્રદર્શન વગેરે અંગે પણ ચર્ચા કરાઈ હતી.

આ વિડીયો કોન્‍ફરન્‍સમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, જિલ્લા યુવા વિકાસ અધિકારીહિતેશ દિહોરા, જી.એસ.આર.ટી.સી.ના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગર સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:35 am IST)