Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા મેલડી માતાજીનો માંડવો

રાજકોટ, તા.૧૮: પંચનીમાં મેલડી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવો તા.૧૯ના રવિવારે કોઠારીયા મેઇન રોડ, ફાયર બ્રિગેડની સામે રાખવામાં આવેલ છે. થાંભલા રોપણ તા.૧૯ના સવારે ૬.૩૦ વાગે, પંચનીમાં મેલડીના સામૈયા સવારે ૯.૩૦ વાગે, મહાપ્રસાદ સાંજે ૬.૩૦ વાગે, અને થાંભલી વધાવવાનું મુર્હુત તા.૨૦ના સોમવારે સવારે ૮.૩૦ વાગે રાખેલ છે. ભાવિકોને લાભ લેવા વિનંતી કરાઇ છે.

(10:09 am IST)