Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દેના બેંકના પૂર્વ અધિકારી પ્રવિણચંદ્ર મદલાણીનું ૮૪ વર્ષની વયે નિધન

રાજકોટઃ મૂળ પોરબંદરનાં વતની રાજકોટ સ્‍થિત ખૂબ જ લોકપ્રિય બેંક અધિકારી દેના બેંકના ખૂબ નિષ્‍ઠાવાન પૂર્વ અધિકારી, સેવાવ્રતિ  પ્રવિણચંદ્ર ભગવાનદાસ મદલાણી (ઉ.વ. ૮૪) નું તા. ૧૬ ના રોજ દુઃખદ અવસાન થયું છે.

પોરબંદરનાં મૂળ વતની એવા  પ્રવિણચંદ્ર મદલાણી સ્‍થાનિક વિસ્‍તારમાં ખૂબ જ જૈફ ઉંમરે પણ વિવિધ સેવા પ્રવળત્તિઓમાં સક્રિય હતા. છેલ્લે સુધી નાગેશ્વર મંદિરમાં મિત્ર વર્તુળ સાથે સેવા પ્રવળત્તિઓમાં રત રહેતા સ્‍વર્ગસ્‍થ પ્રવિણભાઈ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પણ  કાર્યકર્તા હતા. અબાલ-વળદ્ધ કોઈને પણ કોઈપણ સમયે કામ પડે કે જરૂર પડયે સાયકલ લઈ અને દોડી જઈ મદદરૂપ થતા. આ વડિલે સેવા નિવૃત એવા વરિષ્‍ઠ નાગરીકોનું સેવા ગ્રુપ બનાવેલું હતું અને આ ગ્રુપ સ્‍થાનિક વિસ્‍તારમાં સૌને માટે ખૂબ જ સક્રિય રીતે મદદરૂપ થાય છે.

સવિશેષ રીતે પેન્‍શનર મિત્રોને બેંક કે પોસ્‍ટલ સંબંધી કામ પડે ત્‍યારે હંમેશા સાથે જઈ નિસ્‍વાર્થ ભાવે મદદરૂપ થતા રહેતા  પ્રવિણચંદ્ર મદલાણી પેન્‍શનરોમાં પણ પ્રિય હતા.

સ્‍વ.અતુલભાઈ , સ્‍વ. ઈલાબેન દેવાણી,  દિપક મદલાણીનાં પિતાશ્રી, સ્‍વ.હસમુખભાઈ ચગ અને સ્‍વ. કિશોરભાઈ ચગના સાળા, ગોપાલજી જુઠાભાઈ ચગનાં જમાઈ, સ્‍વ. હેમલતાબેન મશરૂ, હંસાબેન ગણાત્રા, સરલાબેન કોટક તથા શ્રી ચંદુભાઈના ભાઈનું ટેલીફોનીક બેસણું (સ્‍વસુર પક્ષની સાદડી સાથે) તા. ર૧ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.નં. ૮૦૦૦૦ ૦૦ર૩૪

(4:26 pm IST)