Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

પૂનમ નિમિતે

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

આયોજન-સંચાલક સ્વીટ્ઝર લેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિ તથા સ્વામી સત્ય પ્રકાશઃ ધ્યાન, ભકિત, ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસરઃ નામ નોંધણી શરૂ

રાજકોટઃ આગામી તા. ૨૧ને સોમવારે પોચી પૂનમ નિમિતે હર પૂનમે શિબિરનું આયોજન તથા સંચાલન કરતા સ્વામિ સત્ય પ્રકાશ તથા સ્વીટ્ઝલેન્ડના સ્વામી પ્રેમ મૂર્તિ દ્વારા શિબિરનું આયોજન કરેલ છે. બપોરે ના ૩થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન યોજેલ શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, લાકટર થેરેપીના નિષ્ણાત સ્વામી અંતર પથીક(જીતેન્દ્ર-ઠકકર)તથા સ્વામિ દેવ રાહુલ(મીસ્ત્રી નીતિનભાઇ ચાંડેગ્રા)ના વિશેષ કાર્યક્રમો, સંધ્યા સત્સંગ વિડિયો દર્શન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત શિબિરમાં સહભાગીતા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વીઝલેન્ડના સ્વામી પ્રેમમૂર્તિઅ. અનુરોધ કરેલ છે.

સ્થળઃ-ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવંકાનંદ ઓવરબ્રિજ પાસે, ડી માર્ટની પાછળની શેરી, ૪ વૈદવાડી, રાજકોટ. વિશેષ માહિતી તથા SMS નામ નોંધણી માટે સ્વામી સત્ય પ્રકાશઃ- ૯૪૨૭૨૫૪૨૭૬, જયૈષભાઇ કોટકઃ-૯૪૨૬૯૯૬૮૪૩, મિસ્ત્રી નિતીનભાઇઃ- ૯૯૨૪૨૩૪૦૯૬.

(2:53 pm IST)