Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

શાપર-વેરાવળમાં હત્યાનો ભોગ બનનાર યુવાન આસામનો રૂપમ નહિ પણ અન્ય કોઈ હોવાનું ખૂલ્યું

આસામથી આવેલ પરિવારજનોએ મૃતક તેનો પુત્ર ન હોવાનું કહ્યું: પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તપાસ

રાજકોટ, તા. ૧૭ :. શાપર-વેરાવળમાં ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ શાપરમાં કામ કરતા શ્રમિકોએ આ લાશ આસામના રૂપમ શૈલેન્દ્રદાસની હોવાનું જણાવતા પોલીસે આસામ સ્થિત તેના પરિવારજનોને જાણ કરી શાપર બોલાવ્યા હતા, જ્યાં આજે આસામ સ્થિત પરિવારજનોએ આ લાશ તેના પુત્ર રૂપમની નહિ હોવાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. એટલુ જ નહિ પોલીસે વધુ તપાસ કરતા રૂપમ શૈલેન્દ્રદાસ જીવીત હોવાનું અને તે હાલમાં અરૂણાચલ હોવાનું ખુલ્યુ હતું. પોલીસ અને તેના પરિવારજનોએ રૂપમ સામે વિડીયો કોલ દ્વારા વાત પણ કરી હતી. જો કે ગઈકાલે રૂપમનો મોબાઈલ બંધ આવતો હોય અને છેલ્લા બે વર્ષથી રૂપમે તેના પરિવારજનો સાથે ફોનમાં વાતચીત કરેલ ન હોય અને શાપર સ્થિત આસામના શ્રમિકોએ હત્યાનો ભોગ બનનાર રૂપમ હોવાની કેફીયત આપી હતી.

દરમિયાન શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે હત્યાનો ભોગ બનનાર અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

(3:58 pm IST)