Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

હરિભાઇ ડોડીયાનું નિધનઃ સ્મશાન યાત્રા નિકળી

રાજકોટ નાગરિક બેંકના સીનીયર ડીરેકટર તથા વિહીપના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ નાગરિક સહકારી બેંકના સીનીયર ડીરેકટર તથા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ મમતા ગ્રૃપવાળા હરિભાઇ ડોડીયાનું આજે દુઃખદ નિધન થયું છે. તેઓ પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડીયાના લઘુબંધુ થતા હતા. તેમના પુત્રો મનોજભાઇ (મો. ૯૮ર૪૪ ૩૦૩૦૩) તથા રૂપેશભાઇ સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા. ગઇકાલે જ હજી તેમનો જન્મદિવસ હતો. સદ્ગતની સ્મશાન યાત્રા બપોરે ૪ કલાકે તેમના નિવાસસ્થાન, ડોડીયા નિવાસ, ૮-મનહર પ્લોટ, રાજકોટ ખાતેથી નિકળેલ. જેમાં રાજકીય, સહકારી અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં લોકો જોડાયેલ.

(2:35 pm IST)