Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

રાજકોટમાં ફિલ્મ 'પદ્માવતી'નો વિરોધ : સૂત્રોચ્ચાર - પૂતળાદહન

ઢેબર રોડ ખાતે સૂત્રોચ્ચાર : પેડક રોડ ઉપર સંજય ભણશાલીના પૂતળાનું દહન

રાજકોટ : વિવાદાસ્પદ ફિલ્મ ''પદ્માવતી''ની રિલીઝને અટકાવવા રાજપૂત સમાજ દ્વારા દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોઈપણ ભોગે આ ફિલ્મને રીલીઝ નહિં થવા દેવાય તેવા ઉચ્ચારણો થઈ રહ્યા છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં પણ આ ફિલ્મના વિરોધમાં સૂત્રોચ્ચાર - પુતળાદહનના કાર્યક્રમ યોજાયા હતા. સર્વ હિન્દુ સમાજ દ્વારા રાજપૂત સમાજના સમર્થનમાં આજે ફિલ્મના ડાયરેકટર - પ્રોડ્યુસર સંજય લીલા ભણશાલીના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. જયારે ઢેબર ચોક ખાતે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)