Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સિવિલ હોસ્પિટલ ખાતે ડો. રવિ રાઠોડ અને ડો. ચિરાગ ડામોરને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

મોૈન પાળી વૃક્ષારોપણ કરાયું: ડૂબી જવાની ઘટના બની એ સ્થળે ચેતવણી દર્શક બોર્ડ મુકવા તંત્રવાહકોને જુનિયર ડોકટર એસોસિએશનની રજૂઆત

રાજકોટઃ ખીરસરા પાછળ ચેકડેમમાં ન્હાવા જતાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના બે છાત્રો ડો. રવિ રાઠોડ અને ડો. ચિરાગ ડામોરના ડુબી જતાં મૃત્યુ નિપજ્યાની કરૂણ ઘટના બની હતી. આ ઘટના અનુસંધાને ગઇકાલે સિવિલ હોસ્પિટલ ખાતે ડીન ડો. મુકેશ સામાણી, મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. આર. એસ. ત્રિવેદી તથા પેથોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો. ગૌરવી ધ્રુવા તથા અન્ય ફેકલ્ટી મેમ્બર્સની હાજરીમાં જુનિયર ડોકટર એસોસિએશન ઘ્વારા એક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટ નું મૌન તથા વૃક્ષારોપણ કરી , મીણબત્તી ઘ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. જુનિયર ડોકટર એસોસિએશન રાજકોટ તરફથી  તંત્રવાહકોને એક વિનંતી કરવામાં આવી છે કે જ્યાં આ ઘટના બની ત્યાં ફરીથી કોઇનો ભોગ ન લેવાય તે માટે સુરક્ષાના ભાગ રૂપે ચેતવણી દર્શક બોર્ડ રાખવામાં આવે. 

(3:03 pm IST)