Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સદર અને જાગનાથના વોંકળા ગંદકીથી ભરાઇ ગયા છે સફાઇ નહી થાય તો ૧ ઇંચ વરસાદમાં પણ પુર આવશે

રાજકોટઃ શહેરમાં મ.ન.પા.દ્વારા વિવિધ વોકળાઓની ચોમાસા પુર્વે સફાઇ થઇ રહી છે. ત્યારે  શહેરના હાર્દસમાં વિસ્તારમાં આવેલા સદર અને જાગનાથના વોકળાઓમાં હજી સુધી સફાઇ નહી થતા આ વોંકળાઓ ગંદકી અને કચરાના ઢગલાથી ભરાઇ ગયેલા છે અને હવે જો એક-બે દિવસમાં ૧ ઇંચ જેટલો વરસાદ પણ પડશે તો પણ સદર, ભીલવાસ, ગવલીવાડ, સહીતના વિસ્તારોમાં પુરની સ્થિતી સર્જાશે લોકોના ઘરોમાં પાણી ઘુસી જશે આમ જો આ વોકળાઓની તાકિદે સફાઇ નહી થાય તો પુર આવશે  તે નિશ્ચીત છે. તસ્વીરમાં ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદતા વોકળાઓ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)