Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કાલે સ્વ.રામદેવસિંહજી જાડેજાની પૂણ્યતિથિએ મહારકતદાન કેમ્પ

સ્કોડાના શોરૂમ ખાતે સવારે ૬ થી બપોરે ૨ કલાક સુધીમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડશેઃ જગતસિંહ જાડેજા દ્વારા આયોજનને અપાતો આખરી ઓપ

રાજકોટ, તા.૧૭ : રકતદાન મહાદાન.. રકતનું એક બુંદ પણ એક જીંદગી બક્ષે છે ત્યારે રીબડાના સ્વ. રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિમાં ગોંડલ રોડ સ્થિત સ્કોડા શોરૂમ ખાતે રકતદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્કોડાના શોરૂમ ખાતે યોજાનાર આ રકતદાન કેમ્પ ૩૬મો છે. રકતદાન કેમ્પમાં રાજકોટ, ગોંડલ, અમદાવાદ, જામનગર, જૂનાગઢની બ્લડ બેંક ભાગ લેશે.

રીબડાના પૂર્વ સરપંચ જગતસિંહજી જાડેજાએ એક યાદીમાં જણાવ્યુ છે કે તા.૧૮ને શનિવારે સવારે ૬ થી બપોરે ૨ કલાક સુધી 'સ્કોડા શોરૂમ' રાજકોટ- ગોંડલ રોડ, કિશાન પેટ્રોલ પંપની બાજુમાં, મહારકતદાન કેમ્પનું મહાઆયોજન કરવામાં આવેલ છે.

સ્વ.શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિ પ્રસંગે વર્ષમાં બે વખત મહારકતદાન કેમ્પનું આયોજન થાય છે. આ માનવ જીંદગી બચાવવાના માનવ સેવાના કાર્યમાં સહકાર આપી ધન્યતા અને ગૌરવ અનુભવવા અપીલ કરી છે.

તા.૧૮ને શનિવારે સ્વ.શ્રી રામદેવસિંહજી એમ. જાડેજાની પૂણ્યસ્મૃતિમાં છત્રીસમો રકતદાન કેમ્પ છે. રકત આપનારની પૂર્ણ મેડીકલ તપાસણી કરવામાં આવે છે. રકત આપનારના આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવે છે. રકત આપનારને ચા, કોફી, વિવિધ જાતના બિસ્કીટ સાથે  ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. રકત આપનારને કિંમતી અને લાંબો સમય દિન પ્રતિદિન ઉપયોગમાં આવે તેવી ભેટ સોગાદ આપવામાં આવે છે. રકત આપનારને લોહી ગ્રુપ કાર્ડ, નોંધણી રજીસ્ટર નંબર, સર્ટીફીકેટ સાથે આઈ કાર્ડ, સન્માન પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત સમૂહ જૂથમાં આવવા જવા માટે વાહનની પૂરી સગવડતા કરવામાં આવે છે. રકતદાન આપનાર કે તેમના સંબંધીની ફોન ઉપરની જાણથી દર્દીઓને મફત લોહી આપવાની તુરંત વ્યવસ્થા કરવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે અમારા માર્ગદર્શન સાથે રકત સંપૂર્ણ મફત આપવામાં આવે છે. દતક લીધેલ થેલેસેમીયા દર્દીઓને મફત રકત આપવામાં આવે છે.

રીબડાના માજી સરપંચ શ્રી  જગતસિંહ જાડેજાએ કાલે તા.૧૮-૫-૨૦૧૯ના સ્કોડાના શોરૂમ રાજકોટ- ગોંડલ રોડ ખાતે મહારકતદાન કેમ્પમાં જોડાવા અપીલ કરી છે.

(1:17 pm IST)