રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા,પરેશ ધાનાણી ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કર્યા હતા ત્યાર બાદ ચાર વાગ્યે વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા,
પરેશ ધાનાણી સાથે અનેક કોંગ્રેસ પક્ષના નેતાઓ.તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર,તેમજ જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા,ખોડલધામ ધામના ટ્રસ્ટી ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓ ખોડલધામ ખાતે પહોંચતા ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
માં ખોડલના દર્શન કરી લોકસભામાં જવલંત વિજય મેળવવા આશીર્વાદ લીધા હતા,
ખોડલધામ ખાતે પરેશ ધાનાણી અને નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી મંત્રણા કરી હતી,
પરેશ ધાનાણીએ મંદિર ખાતે શંખનાદ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,
અમારી માં કુળદેવી માં કાગવડ વાળી માં ખોડલ ના ચરણોમાં શીશ ઝુકાવી ખોળા માં માથું મૂક્યું,
ખોડલધામ ખાતે પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા માટે આવ્યો છું,
જ્યારે જ્યારે યોદ્ધા ને જવાબદારી સોંપવામાં આવે ત્યારે જવાબદારી નિષતાપૂર્વક નિભાવવા રાજકોટના રણ મેદાન આવ્યો છું,
સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું,પરંતુ પાડોશી ધર્મ નિભાવીને 5 વર્ષ રાજકોટના સાથી બનવા રણ મેદાન આવ્યો છું,
રાજકોટના જનજન હૃદય માં આશા અપેક્ષાઓ છે તેની દીપ જલાવવા સફળ થઈશ માં ભવાની,જગદંબા માં ખોડલ બધાના હૃદયમાં વસી ત્યારે અનીતિ અધર્મ અને અસત્યની સાથે નીતિ ધર્મ અને સત્યના યુદ્ધ માં અમારી સાથે રહેશે,
સાતમા આસમાને બેઠેલા લોકોના અહંકારને ઓગળસે, મંદી, મોંઘવારી,ભ્રષ્ટાચાર, સહિત વિવિધ સવાલોથી ઘેરાયેલ ગાંધી અને સરદારની ભૂમિ ના દરવાજા ખોલવા હું આવ્યો છું.
ભાજપનું શીશ નેતૃત્વ વીતેલા 15 દિવસ પછી પણ દેશ ની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનો એ ઇરાદાપૂર્વક લગાડેલ ડાંગ નિષ્ફળ નીવડ્યું છે
દીકરીઓ 15 થી 20 દિવસ થી સ્વાભિમાન લડાઈ ગામની ગલીઓ સુધી લઈને ગઈ છતાં ધૂતરાષ્ટ્ર બનીને ભાજપ ખેલ નિહાળી રહ્યું છે,
દર વખતે ની જેમ આ વખતે પણ ભાજપ વર્ગ વિગ્રહ નું બીજ રોપીને જ્ઞાતિ ભાષા ના નામે ધર્મ ના નામે ભાગલા પડાવી રાજકીય રોટલા સેકવા સફળ થયા હશે,રાજકોટના રણ મેદાન સ્વાભિમાનની યુદ્ધ ની શરૂઆત થશે ત્યાર બાદ વીરપુર ખાતે પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા અને પરેશ ધાનાણીએ જલાબાપાને શ્રીફળ પ્રસાદ ધર્યા હતા તેમજ પરેશ ધાનાણીએ "જય જય જલીયાણ"ના નારા લગાવ્યા હતા.
વીરપુર પૂજ્ય જલારામ બાપાના મંદિરે શીશ જુકાવીને પરેશ ધાનાણીએ જણાવ્યું હતું ભોજલરામ બાપાનો વારસ જલાબાપા ને આશરે માથું ટેકવવા આવ્યો છે,
આજે સમગ્ર દેશમાં 80 કરોડ કરતા વધુ લોકોને પેટનો ખાડો પુરવા સરકારી સસ્તા અનાજ ની દુકાને લાઇનમાં ઉભું રહેવું પડે છે એવી દયનિય સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેદા થઈ છે,
સામાન્ય માણસનું કોઈ સાંભળનારું નથી ત્યારે જલાબાપાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી સામાન્ય માણસની વાત સંભળાય અને તેમના પેટનો ખાડો પુરવા તેમના ઘરે ચુલો સળગે અને બે ટાઈમ સ્વાભિમાનનો રોટલો મળે તેવી વ્યવસ્થા પેદા કરવા આશીર્વાદ લેવા આવ્યો છું,
મને વિશ્વાસ છે જલારામ બાપાના આશિર્વાદ સાથે રહેશે અને દેશમાં સારા સાશકો સ્થાપિત થાય અને સરકાર સામાન્ય માણસોને સસક્ત બનાવે અને મોંઘવારી માંથી મુક્તિ અપાવે મંદી માંથી નાના રોજગાર ધંધાઓ ભાંગીને ભુકા થયા છે તે ફરી પાછા
ધમધમતા થાય એવી સરકાર બનશે.