Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ડાંગર હોમીયોપેથીક કોલેજમાં પ્રવેશ પરીણામ પ્રશ્ને વિદ્યાર્થીઓનું આંદોલનઃ સુત્રોચ્ચાર

રાજકોટ, તા., ૧૭: શહેરના જામનગર રોડ ઉપર આવેલ બી.એ.ડાંગર હોમીયોપેથીક કોલેજમાં પ્રવેશ પ્રશ્ને પરીક્ષા પ્રશ્ને આંદોલન ચાલી રહયું છે. આજે પણ વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

બી.એ.ડાંગર કોલેજના ૧૭૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. આઇબી કાઉન્સીલની પરમીશન ન મળતા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષાનું પણ પરીણામ જાહેર ન થતા કોલેજ બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.  આ અંગે અગાઉ વિદ્યાર્થી પરીષદના કાર્યકરોએ રજુઆત કરી હતી.

(4:05 pm IST)