Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રાજકોટ-મોરબી હાઇ-વે ઉપર ખોડીયારધામ આશ્રમ સંચાલિત મારૂતી ગૌશાળામાં મીની વાવાઝોડાથી નુકશાન

ગઇકાલે સૌરાષ્ટ્રમાં ફુંકાયેલ ભારે પવન સાથે કરા સાથે વરસાદ પડયો હતો આ વરસાદના કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયુ છે. ત્યારે જબરજસ્ત પવન અને વાવાઝોડામાં રાજકોટ-મોરબી હાઇ-વે પર આવેલ ખોડીયારધામ આશ્રમ સંચાલિત મારૂતિ ગૌશાળાના પતરા અને શેડ સંપૂર્ણ ઉડી ગયા છે અને ઘાસચારો પલળી ગયો છે. રાજકોટ-મોરબી હાઇ-વે ઉપરના કાગદડી ધુનામાં કાલે ફુંકાયેલા પવન અને વરસાદથી જાનહાની થઇ ન હતી પરંતુ લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

(4:04 pm IST)