Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રાજકોટના ૫ નામાંકિત કલાકારોનું શનિ-રવિ પેઈન્ટીંગ - ફોટોગ્રાફી પ્રદર્શન

૨૪ ચિત્રો, ૩૬ ફોટોગ્રાફી પ્રદર્શિત : કલારસીકોને આમંત્રણ

રાજકોટ, તા. ૧૭ : અહિંના ઈન્ફીનીટી કલા પ્રદર્શન રાજકોટ ખાતે નામાંકિત કલાકારો શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા (મો.૯૮૯૮૦ ૯૮૬૯૬), શ્રી મુકેશભાઈ ડોડીયા (મો.૯૮૨૫૬ ૩૦૮૯૪), શ્રી હિરલ રાઠોડ (મો.૯૦૩૩૪ ૮૦૪૨૪), શ્રી હિતેન રાધનપુરા અને શ્રી અભિષેક પરહી (મો.૯૬૬૪૯ ૬૧૮૧૯) દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ તા.૨૦ શનિવારે અને તા.૨૧ના રવિવારના સવારના ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શનમાં પાંચ કલાકારો તથા ૨૪ ચિત્રો અને ૩૬ ફોટોગ્રાફી પ્રદર્શિત થશે. ફોટોગ્રાફીમાં છાયા પ્રકાશ, વાઈલ્ડ લાઈફ, પ્રકૃતિ અને જીવન શૈલી તથા ચિત્રોમાં અલગ - અલગ માધ્યમમાં સમકાલીન ચિત્રોનું પ્રદર્શન થશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:00 pm IST)