Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

શુક્રવારે સંતશ્રી વેલનાથ બાપુનો તિથિ ઉત્સવ : જ્ઞાતિ સેવા એવોર્ડ સમારોહ અને લોકડાયરાનું આયોજન

રાજકોટ તા. ૧૮ : જય વેલનાથ જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા તા. ૧૯ ના શુક્રવારે 'સંત વેલનાથ તિથી ઉત્સવ' નું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે અષાઢી બીજ, શોભાયાત્રા, દાંડીયારાસ, જીવનસાથી પરિચય મેળો, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના આયોજન કરતી જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા સૌપ્રથમવાર સંતશ્રી વેલનાથ તિથી ઉત્સવનું આયોજન કરાયુ છે.

તા. ૧૯ ના શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકથી રાત્રે ૧૨.૩૦ સુધી અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે આ સમારોહ યોજેલ છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી જ્ઞાતિ માટે ઉમદા કાર્ય કરનાર જ્ઞાતિ ૫૧ જ્ઞાતિ શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનીત કરાશે.

ત્યાર બાદ લોકડાયરો રાખેલ છે. જેમાં રાજુભાઇ સાકરીયા, ઘનશ્યામભાઇ ઠાકોર, રવજીભાઇ બાળોન્દ્રા, હર્ષાબેન મેણીયા લોકસાહિત્ય, સંતવાણી પીરસશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બહેનો સંભાળશે.

રાજકોટ શહેર-તાલુકા-જિલ્લાના તમામ ગામોના ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, કોળી જ્ઞાતિ સમાજના લોકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. વિશેષ માહીતી માટે દેવાંગ કુકાવા મો.૯૨૨૮૩ ૬૦૮૪૮ અને કલ્પેશભાઇ બાવરીયા મો.૭૯૮૪૮ ૯૪૪૨૪ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય વેલનાથ જય માંધાતા સમિતિના દેવાંગ કુકાવા, કલ્પેશભાઇ બાવરીયા, વિજયભાઇ ભાલીયા, અરૂણાબેન મગવાનીયા, મનીષાબેન માલકીયા, કાજલબેન સાકરીયા, મયુરભાઇ બાવરીયા, રવિભાઇ ચારોલા, અલ્કેશભાઇ સીપરીયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:57 pm IST)