Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કાલે પડધરીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટનઃ નરહરિ અમીન આવે છે

રાજકોટ, તા. ૧૭ :. લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના પ્રચારાર્થે આવતીકાલે ગુરૂવારે સવારે ૯ વાગ્યે પડધરી મોવૈયા ચોકડી ખાતે વિધાનસભા ક્ષેત્રના કાર્યાલયનું ઉદ્ઘાટન થનાર છે. આ પ્રસંગે ઉમેદવાર મોહનભાઈ, લોકસભા બેઠકના પાર્ટી પ્રભારી નરહરિ અમીન, ચૂંટણી ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ વગેરે હાજરી આપી સભા સંબોધશે. સૌ કાર્યકરો - પ્રજાજનોને ઉપસ્થિત રહેવા ભાજપના સ્થાનિક અગ્રણી ધીરૂભાઈ તળપદાએ જણાવ્યુ છે.

(3:55 pm IST)