Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જય ગુરૂદેવ.... પૂ.રણછોડદાસજી બાપુના નિર્વાણ દિને આશ્રમે ધર્મભીના કાર્યક્રમો

રાજકોટઃ સદ્દગુરૂ ભગવાન પૂ.રણછોડદાસજી બાપુનો આજે નિર્વાણદિન છે. અહિંના કુવાડવા રોડ સ્થિત રણછોડદાસજી બાપુના આશ્રમે દિવસભર ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે. વ્હેલી સવારે આરતી ષોડષોપચાર પૂજન, બ્રહ્મચોર્યાસી, પૂજા, સુંદરકાંડના પાઠ, રામનામ જાપના અખંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા છે. તસ્વીરમાં સદ્દગુરૂ આશ્રમે વ્હેલી સવારથી જ ભાવિકોએ પાદુકા પૂજન, દર્શનનો લાભ લીધો હતો.

(11:41 am IST)