Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સદ્દગુરૂ સોસાયટીના ૭૫ વર્ષિય પ્રવિણભાઇ ભલસોડનો આપઘાત

બીપી-ડાયાબિટીસથી કંટાળી જતાં ઝેરી દવા પી લીધી

રાજકોટ તા. ૧૭: સામા કાંઠે સદ્દગુરૂ સોસાયટી-૧માં રહેતાં પ્રવિણભાઇ કાનજીભાઇ ભલસોડ (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધે રાતે સાડા નવેક વાગ્‍યે ઘર નજીક ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ થોરાળા પોલીસમાં જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ પ્રવિણભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ડાયાબીટીસ, બ્‍લડપ્રેશર સહિતની બિમારીઓથી કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધું હતું.

(5:23 pm IST)