Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગોવિંદભાઈ બિનહરીફઃ રાદડિયાની રાહબરી, તાળાએ 'તાળુ' ખોલાવ્યુ

રાજકોટ :. જિલ્લા ડેરીના ચેરમેન તરીકે ગઈકાલે ગોવિંદભાઈ રાણપરિયા વધુ એક વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ગઈ તા. ૯મીએ આંતરિક ઝંઝાવાતના કારણે ચૂંટણી મોકુફ રહેલ. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો છે. સહકારી ક્ષેત્રના આ અગત્યના ઓપરેશનમાં જિલ્લા બેંકના ડીરેકટર અરવિંદ તાળાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી વિઘ્નનું તાળુ ખોલાવ્યું હતું.

(4:38 pm IST)