Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પત્નિના વિયોગમાં ખાંટ યુવાન જતીન સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

અઢી મહિના પહેલા પત્નિનું મૃત્યુ થયું હતું: ગોંડલ રોડ મોલ પાછળ રેનિકલ એપાર્ટમેન્ટમાં બનાવઃ અઢી વર્ષની પુત્રીએ માતા બાદ પિતા પણ ગુમાવતાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ પર ડી માર્ટ પાછળ રેનિકલ એપાર્ટમેન્ટમાં રહેતાં જતીન મનસુખભાઇ સોલંકી (ઉ.૨૮) નામના ખાંટ યુવાને ઘરમાં છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. અઢી મહિના પહેલા મૃત્યુ પામેલી પત્નિ ઉમાના વિયોગમાં તેણે આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. બનાવને પગલે અઢી વર્ષની પુત્રી માતા-પિતા વિહોણી થઇ જતાં ગમગીની છવાઇ ગઇ છે.

જતીન મુળ મેંદરડાના ચિરોડાનો વતની હતો. પરંતુ કેટલાક વર્ષથી રાજકોટ સ્થાયી થયો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અઢી વર્ષની પુત્રી જ્હાન્વી છે. અઢી માસ પહેલા જતીનના પત્નિનું બિમારીથી મોત થયું હતું. ત્યારથી તે ગમગીન રહેતો હતો. આજે શાપર રહેતો તેનો ભાઇ ગોપાલ તેને ફોન કરતો હોઇ તે ફોન રિસીવ ન કરતો હોઇ ભાઇએ રાજકોટ આવી તપાસ કરતાં જતીન લટકતો જોવા મળ્યો હતો. ૧૦૮ના ઇએમટીએ તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને રાઇટર પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

પત્નિના વિયોગમાં જતીને આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. તે બે ભાઇમાં મોટો હતો. અઢી માસની દિકરીએ અગાઉ માતા અને હવે પિતા પણ ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:39 pm IST)