Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

સ્વાઇન ફલૂથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જસદણ કમળાપુરના વૃધ્ધનું મોત

રાજકોટઃ સ્વાઇન ફલૂથી વધુ એક મોત નિપજ્યું છે. જસદણના કમળાપુરના ૭૦ વર્ષના વૃધ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આજે વહેલી સવારે સવા છ વાગ્યે આ વૃધ્ધે દમ તોડી દીધો છે. આજે સ્વાઇન ફલૂના એક નવા દર્દી જાહેર થવા સાથે કુલ ૫૪ દર્દી સારવાર હેઠળ છે. કુલ મૃત્યુઆંક ૩૯ થયો છે.

(11:53 am IST)