Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સ્વ. મનહરલાલ પિત્રોડા ગેરેજ વ્યવસાયના પાયાના પથ્થર હતા

રાજેશ ઓટોના સ્થાપકની ર૩મીએ ઉત્તરક્રિયા

રાજકોટ, તા.  ૧૭ : મનહરલાલ રામજીભાઇ પિત્રોડાનું દુઃખદ અવસાન થયું છે. મનુભાઇ ગેરેજવાળા તરીકે તેઓએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સ્વ. મનહરભાઇ રાજકોટના ગેરેજ વ્યવસાયના પાયાના પથ્થર સમાન હતા.

સ્વ. મનહરભાઇના પુત્ર રાજુભાઇ તથા કાકા જેઠાલાલભાઇ પિત્રોડા આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. સ્વ. મનહરલાલભાઇ સાથેના સ્મરણો તાજા કર્યા હતા. જેઠાલાલભાઇએ ૬પ વર્ષ પહેલા રાજકોટના સદર વિસ્તારમાં ટુ વ્હીલરના ગેરેજનો પ્રારંભ કર્યો હતો. તેઓ અને જેઠાલાલભાઇ બંને ટેકનિકલ માઇન્ડ ધરાવતા હતા. ગેરેજ વ્યવસાયમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં પણ સદરમાં રાજેશ ઓટો ગેરેજ ધમધમે છે અને સ્વ. મનહરલાલભાઇના પુત્ર રાજુભાઇ તેનું સંચાલન કરે છે.

જેઠાલાલભાઇ કહે છે કે, અમે મૂળ કચ્છના છીએ. કુળદેવી બુટ ભવાની માતાજીની કૃપાથી વ્યવસાયમાં રાજકોટ ખાતે લોકપ્રિયતા મળી છે.સ્વ. મનહરલાલ રામજીભાઇ પિત્રોડાના ઉત્તરક્રિયા આગામી તા. ર૩ના શુક્રવારે ગુરૂ નાનક હોલ, ફૂલછાબ ચોક, સદર ખાતે રાખેલ છે.

રાજેશભાઇ મો. ૯૮૯૮૯ ર૩૪૬૪ નંબર પર શોક સંદેશા આવી રહ્યા છે. સ્વ. મનહરલાલ પિત્રોડાના કાકા જેઠાલાલભાઇ પિત્રોડા તથા સ્વર્ગસ્થના પુત્ર રાજેશભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(૮.૧ ૯)

 

(3:57 pm IST)