Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કોર્પોરેશને મંજુરી નહિ આપી હોવા છતા સોમવારે સફાઈ કામદારો ઉપવાસ આંદોલન કરશે

રાજકોટઃ. આગામી તા. ૧૭ના રોજ સફાઈ કામદારોની ભરતી, વારસદારોને નોકરી સહિતના પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે શ્રી રૂખી હરિજન સમાજ સેવા ટ્રસ્ટના નેજા તળે સફાઈ કામદારો કોર્પોરેશન કચેરીમાં ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરનાર છે. આ અંગે સમાજના અગ્રણીઓએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો આપતા જણાવ્યુ હતું કે, ૩૦ નવેમ્બરે મ્યુ. કમિશ્નરને આ બાબતે પત્ર પાઠ વી અને કોર્પોરેશનના દરવાજાની બાજુમાં ઉપવાસ આંદોલન કરવા માટે મંજુરી માગી હતી પરંતુ તેઓએ મંજુરી આપી નથી અને ગઈકાલે અન્ય એક મંડળની રજૂઆત અંગે હકારાત્મક વલણ અપનાવવાની જાહેરાત કરી સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કર્યો છે તેને વખોડી કાઢી અને આગામી તા. ૧૭ને સોમવારથી કોર્પોરેશન કચેરીમાં સમાજના ધર્મગુરૂ પટેલશ્રીઓ, ટ્રેડ યુનિયનો અને સફાઈ કામદારોને સાથે રાખી ઉપવાસ ઉપર બેસી આંદોલન ચાલુ રાખશે. તંત્ર ભલે લાઠીચાર્જ કે અન્ય શારીરિક-માનસિક ત્રાસ આપે આમ છતા પણ ઉપવાસ આંદોલન કરવા મક્કમ હોવાનું આગેવાનો જણાવ્યુ હતુ. તસ્વીરમાં આ આંદોલનમાં જોડાયેલા અગ્રણીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૨૧)

(3:42 pm IST)