Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

કારખાનેદાર શાંતિલાલ પટેલ બાથરૂમમાં ઢળી પડયા બાદ મોત

બેભાન હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ મોરબી રોડ શાંતિ બંગ્‍લોઝમાં બનાવ

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર શાંતિ બંગલોઝમાં રહેતાં શાંતિલાલ નરસીલાલ વોરા (લેઉઆ પટેલ) (ઉ.વ.૫૬) રાતે અગિયારેક વાગ્‍યે ઘરે બાથરૂમમાં ગયા ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર શાંતિલાલ બે બહેન અને એક ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. તેઓ સોરઠીયાવાડીમાં કારખાનુ ચલાવતાં હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરાએ કાર્યવાહી કરી હતી. 

(4:33 pm IST)